વર્ષ 2018 માટે નાસ્ત્રેદમસએ કરેલી ડરાવની ભવિષ્યવાણીઓ, માણસ જ માણસ ને માર સે!

507
621
Nostradamus world war 3 predictions 2018 in Gujarati

ફ્રાન્સ ના પ્રચલિત ભવિષ્યવાણી પ્રબોધક નાસ્ત્રેદમસ એ વર્ષ 2018 માટે ઘણી ભયાનક આગાહીઓ કરી છે. હવે નાસ્ત્રેદમસ ની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ ચુકી છે, જો 2018 ની આગાહીઓ પણ સાચી સાબિત થાય, તો સમજો કે આ વર્ષ વિશ્વ માટે ભયંકર વિનાશકારી સાબિત થશે.

Nostradamus 2018 predictions in Gujarati

નાસ્ત્રેદમસ નું નામ તો દરેક જાણે છે, પણ જેઓ નથી જાણતા, તેમને જણાવીએ કે નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503 ના રોજ ફ્રાન્સના એક નાના ગામમાં થયો હતો. 16 મી સદીમાં, તેમણે કવિતાઓ દ્વારા વિશ્વના ભવિષ્ય વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. નાસ્ત્રેદમસ ની લખાયેલ ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસ ની આ ભવિષ્યવાણીઓ સાચી પડી છે:

નાસ્ત્રેદમસ ની જે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે એમાં બીજું વિશ્વ યુદ્ધ, પરમાણુ બૉમ્બ, અમેરિકા માં 9/11 આતંકવાદી હુમલો અને હિટલર ના ઉદય વિષે ઉલ્લેખ કરવા માં આવ્યો હતો. એવું કેહવા માં આવે છે કે નાસ્ત્રેદમસ ની પાસે એકવખત એક નૌજવાન યુવક આવ્યો તો એમણે તેની આગળ જુકી ને તેને નમસ્કાર કર્યા. આવું જોઈ એમના મિત્ર હેરાન થઇ ગયા અને યુવક ને નમસ્કાર કરવાનું કારણ પૂછ્યું તો નાસ્ત્રેદમસ એ બતાવ્યું કે આ જ વ્યક્તિ આગળ જઈ ને પૉપ બનશે. અને એ જ યુવક ને 1558 માં પૉપ તરીકે પસંદ કરવામાં આવ્યા. એટલું જ નહિ નાસ્ત્રેદમસ એ જે રીતે પોતાના મૃત્યુ ની ભવિષ્યવાણી કરી હતી એના થી પૂરો યુરોપ હેરાન હતો.

નોસ્ટ્રાદમસે 2018 માટે જે ભવિષ્યવાણીઓ કરી છે, એમાં થી ઘણી ભયાનક ઘટનાઓ ની પણ આગાહી કરી છે. નોસ્ટ્રાડેમસના જણાવ્યા અનુસાર, 2018 માં મૃતક આત્માઓ તેમની કબરોમાંથી બહાર આવશે અને ઘણું ઉથલ-પાથલ મચી જાશે. નોસ્ટ્રાડેમસે 2018 માં અનેક કુદરતી આફતોની આગાહી કરી છે.

Nostradamus predictions The Prophecies in Gujarati

નાસ્ત્રેદમસએ તેમના પુસ્તક ‘ધી પ્રોફેસિઝ’ માં ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી છે. નાસ્ત્રેદમસએ વૈશ્વિક વ્યવસ્થામાં મોટા ફેરફારો ની આગાહી કરી છે. નાસ્ત્રેદમસ ની આગાહી મુજબ, ત્રીજું વિશ્વ યુદ્ધ માત્ર બે કે બે થી વધારે દેશો વચ્ચે નહી, પરંતુ બે દિશાઓ એમ પૂર્વ અને પશ્ચિમ દિશા વચ્ચે હશે. આમ, એવી ધારણા લગાવામાં આવે છે કે અમેરિકા અને કોરિયા વચ્ચે યુદ્ધ છેડાઈ શકે છે.

નાસ્ત્રેદમસની આગાહી મુજબ, માણસ જ માણસને મારી રહ્યો હશે અને યુદ્ધના અંતમાં અમુક લોકો જ શાંતિનો આનંદ માણવા માટે બચશે. આકાશમાંથી ઉડતી આગની જ્વાળાઓ પડી રહી હશે અને લોકો અસહાય બની જશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ના સતત ન્યુક્લીયર મિસાઇલ પરીક્ષણથી લોકો માં એવું જ ડર ફેલાઈ ગયુ છે.

જયારે નાસ્ત્રેદમસ ની અમુક ભવિષ્યવાણીઓ ખોટી પણ પડી છે.

નાસ્ત્રેદમસ ની આ ભવિષ્યવાણીઓ ખોટી પડી છે:

નાસ્ત્રેદમસ તેમની રસપ્રદ અને ડરાવની આગાહીઓ માટે ચર્ચામાં આવ્યા છે. એવું કહેવાય છે કે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે, તો કેટલીક ભવિષ્યવાણીઓ છે જે ખોટી સાબિત થઈ છે. સંશોધકોના જણાવ્યા મુજબ, નાસ્ત્રેદમસએ લખ્યું હતું કે 21 ડિસેમ્બર, 2012 ના રોજ વિશ્વના અંત આવશે, પરંતુ તેવું ન થયું.

નાસ્ત્રેદમસ એ સૂર્ય પર ભૂકંપ વિશે લખ્યું છે, જે શક્ય નથી તેથી, લોકો તેમની ભવિષ્યવાણીઓ ને સત્ય તરીકે સ્વીકરવા ના બદલે રસપ્રદ આગાહી ના રૂપ માં જોવે છે.

નાસ્ત્રેદમસ એ 2017 માટે આ આગાહીઓ કરી હતી:

1 – વિશ્વમાં આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ચીન એક મોટું પગલું લઈ શકે છે. નોસ્ટ્રાડેમસના જણાવ્યા મુજબ, આ પગલા ના દૂરના પ્રભાવ હશે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, ચીનનું આર્થિક પ્રભાવ વધી ગયો છે તેવું માનવાવાળા લોકો નાસ્ત્રેદમસ ના અનુમાન ને સાચું માની રહ્યા છે.

2 – વર્ષ 2017 માં, લેટિન અમેરિકન દેશોમાં મોટા ફેરફારો થશે. નોસ્ટ્રાદમસ ના મુજબ, આ વર્ષે ઘણા લેટિન અમેરિકન દેશો ડાબેરી રાજનીતિથી દૂર રહેશે. જો કે આ કારણે ત્યાં રાજકારણ અને સામાજીક અવરોધ થઇ શકે છે.

3 – નોસ્ટ્રાડેમસના જણાવ્યા અનુસાર, 2017 માં ઘટતા સંસાધનો અને સ્રોતો અને ગ્લોબલ વોર્મિંગને લીધે, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ બની શકે છે. જો કે, વિશ્વ માં હજુ પણ આતંકવાદ અને જૈવિક હુમલાઓ થી સૌથી મોટો ખતરો હશે.

Nostradamus Predictions for 2018 in Gujarati.

507 COMMENTS

Comments are closed.